નવરાત્રીના 10 દિવસ તથા 2 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રિના દસ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રીની ઉજવણી માટે કોઇપણ કાર્યક્રમમાં માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.
અમદાવાદમાં નવરાત્રીને લઇને પોલીસનું જાહેરનામું સામે આવી ગયુ છે. જાહેરનામા અનુસાર અમદાવાદ શહેર પોલીસ કમિશનરના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી નવરાત્રીના 10 દિવસ તથા 2 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રિના દસ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રીની ઉજવણી માટે કોઇપણ કાર્યક્રમમાં માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.

રાત્રિના 12 વાગ્યા પછી માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં. માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ નોઇઝ પોલ્યુશન ( રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રુલ્સની જોગવાઇઓને આધીન તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા અનુસાર રાત્રિના 12 વાગ્યા સુધીજ કરવાનો રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ahmedabad police issues navratri guidelines loudspeakers allowed only till midnight
